ગુજરાત
News of Monday, 11th January 2021

ડેડીયાપાડાના બલ ગામની 16 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બલ ગામના અર્જુનભાઇ વાડગીયાભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ બલ ગામના નિશાળ ફળીયામાં રહેતી અંજનાબેન અમરસિંગભાઈ વસાવા(૧૬) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘર માંજ ઝેરી દવા પી લીધા બાદ ડેડીયાપાડા સરકારી દવાખાના બાદ રાજપીપળા સિવિલ અને ત્યાંથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 pm IST)