News of Tuesday, 11th January 2022
આરોગ્ય મંત્રીની કામગીરી પ્રત્યેનો સંતોષ અને લાગણીઓ કલાત્મક ઢબે પ્રસ્તુત કરતા ઇકબાલભાઇ
અમદાવાદના ઇકબાલભાઇએ ઉતરાયણ પર્વ સંદર્ભે પતંગમાં મંત્રી શ્રી ઋષિકેશભાઇ ની કલાકૃતિ કંડારી:પીએમ નરેન્દ્રભાઇ મોદીના કોરોના રસીકરણ મહાઅભિયાન સહિતના માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગનાં સંદેશા દર્શાવતા પંતોગા બનાવ્યા: ઇકબાલભાઇ કલાત્મક રાખડીઓ અને પતંગો બનાવી કોરોના સહિતના વિવિધ વિષયો આધારિત જનજાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય વર્ષોથી કરી રહ્યા છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ઇકબાલભાઇ શેખે આરોગ્યમંત્રી પ્રત્યેની પોતાની લાગણી આવા જ કંઇક અલગ અંદાજમાં પ્રસ્તુત કરી.ઉતરાયણ પર્વ સંદર્ભે ઇકબાલભાઇએ આ કલાકૃતિને મંત્રીના કાર્યાલયમાં આવી તેઓને સ્વહસ્તે ભેંટ કરી હતી.
આ ઉપરાંત ઇકબાલભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આદરેલા કોરાના રસીકરણ મહાઅભિયાન , માસ્ક, સેનિટાઇઝીંગ જેવા વિવિધ વિષયોને સાંકળતા પંતગો પણ તૈયાર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇકબાલભાઇ વર્ષોથી રાજ્યમાં જન-જાગૃતિના વિવિધ વિષયો આધારિત પતંગો અને રાખડીઓ બનાવે છે. તેમની આ કલાની નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓએ લીધી છે.
(6:53 pm IST)