ગુજરાત
News of Friday, 11th June 2021

જય જવાન જય કિસાનનો નારો વાસ્તવિક જીવનમાં સ્વ. રાજેશ પાયલોટે ચરિતાર્થ કરેલ : શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાજયસભાના સાંસદ અને એઆઈસીસીના સદસ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ટ્વિટ કરી સાથી મિત્ર અને કોંગ્રેસના દિગ્ગજ એવા સ્વર્ગસ્થ રાજેશ પાયલોટની  પુણ્યતિથીએ તેમને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરતા લખ્યું છે કે મારા મિત્ર અને ખેડૂતોના સંઘર્ષના સાથી સ્વર્ગસ્થ રાજેશ પાયલોટની આજે પુણ્યતિથિ છે. હું તેમની ગેરહાજરી સતત અનુભવી રહ્ના છું. જય જવાન જય કિસાનનો નારો વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ તેમણે કર્યો હતો. આજે તેમની પુણ્યતિથિએ હું તેમને શ્રદ્ઘાસુમન અર્પણ કરું છું.

 

(12:15 pm IST)