આણંદના સોજિત્રા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત : 6 લોકોનાં કમકમાટી ભર્યા મોત
ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી
આણંદ તા.11 : આણંદના સોજિત્રા પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સોજિત્રાની ડાલી ચોકડી પાસે થયેલા ગોઝારા અકસ્માતને લઈ અનેક પારિવારો વિખેરાય હતા. આ બનાવમાં 6 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ઘટનામાં ભોગ બનનાર ચાર સોજીત્રા ગામના તથા અન્ય બે બોરીયાવી ગામના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના સોજીત્રામાં રક્ષાબંધનના દિવસે ઢળતી સાંજે એક મોટો અકસ્માત સર્જાયો છે.
આણંદના સોજિત્રા પાસે કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને માહિતી આપતા ઘટના સ્થળે કાફલો પહોંચ્યો હતો.
ઘટનામાં ભોગ બનનાર ત્રણ સભ્યો તો એક જ પરિવારના છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોજીત્રા ડાલી ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે ,આ અકસ્માત કરનાર વાહન ચાલક ફરાર થઇ ગયો હતો પરતું પોલીસે ગણતરીના કલાકમાં જ તેને ઝડપી પાડ્યો હતો.
સોજીત્રાની ડાલી ચોકડી પાસે બનેલી અકસ્માતની ઘટનામાં 6 જણાનો ભોગ લેનાર કાર ચાલક ઝડપાયો છે. ઘટના સમયે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે કાર ચાલક કિરીટ પઢીયારને ઝડપી પાડ્યો છે. પોલોસે ipc 304 હેઠળ ગુનો નોંધાયો છે.