News of Monday, 12th July 2021
આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશિર્વાદ માંગીએ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદ : સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું
ભગવાન જગન્નાથજી ના રથનું પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા ના પ્રારંભ પ્રસંગે ભગવાન આશિર્વાદ આપે અને આપણે કોરોનાની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ. ગુજરાત સૌથી પહેલા કોરોના મુક્ત બને તેવા પ્રકારના ભગવાન પાસે આશિર્વાદ માંગીએ. આજે કચ્છીઓનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તેઓ ને પણ શુભકામના પાઠવી હતી.
(10:12 am IST)