અમદાવાદના અસારવામાં પાડોશમાં રહેતા યુવકે મધરાતે સગીરાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી
અમદાવાદ: અસારવામાં પડોશમાં રહેતા યુવકે મધરાતે ઘરમાં ઘૂસીને સાગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને વાત કરીશ તો પિતા અને દાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગીરા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મેેઘાણીનગર પોલીસે ગુનો નાંેધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અસારવા વિસ્તારમાં રહેતા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક સામે ફરિયાદ નોધાવી છે કે યુવકની પત્ની આઠ વર્ષે પહેલા અવસાન પામી હતી. ત્રણ સંતાનો તથા માતા સાથે તે અહિયાં રહેતા હતા, ગત. ૧ના રોજ ફોઇ મરણ પામ્યા હોવાથી ફરિયાદી લોકાચાર ગયા હતા અને બહાર ગામ ગયા હોવાથી રાત ત્યાં રોકાયા હતા. જ્યારે તેમના સંતાનો અને દાદી ઘરે એકલા હતા. ત્યારે રાતે દાદી અને બે બાળકો ઘરની બહાર સૂતા હતા, જ્યારે તેમની ૧૪ વર્ષની દિકરી ઘરમાં એકલી સૂતી હતી. જ્યાં રાતે ૨ વાગે પડોશમાં રહેતો યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો.
આવીને એકદમ સગીરાના હાથ પકડી લીધા બાદ મોઢુ દબાવી દીધું હતું, કિશોરીએ ઝપાઝપી કરતા ધક્કો મારીને પાડી દીધી હતી, બાદમાં બળજબરી પૂર્વક શારિરીક અડપલાં કરવા લાગ્યો હતો, સગીરાનું મોંઢુ દબાવીને દુષ્કર્મ આચર્યું હતું અને તુ આ વાત કોઇને કહીશ તો તારા પિતા અને દાદીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. આ બનાવની જાણ થતાં પરિવારજનોએ સગીરાન ે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાંથી જ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરીને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પડોશી યુવક સામે ગુનો નોધ ાવ્યો હતો. આ ઘટના અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી ફરાર આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.