નર્મદા જિલ્લા VHPની બેઠકમાં જિલ્લામાં ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે ચર્ચા કારાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાની બેઠક રાજપીપળા ટાઉનહોલમાં મળી વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ માટે ચર્ચા વિચારણા થઇ નર્મદા વિશ્વ હિંદુ પરિષદની સમિતિમાં જ થોડા ફેરફાર થયાનવી નિયુક્તિ થઇ આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં દરેક ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય શરૂ થાય માટે ગ્રામ્ય સમિતિઓ બને આવનાર સમયમાં બજરંગ દળના ત્રિશૂલ દીક્ષાના કાર્યક્રમ થશે
નવી નિયુક્તિ મુજબ જિલ્લા મંત્રી સુજલભાઈ મિસ્ત્રી, રાજપીપળા જિલ્લા ઉપાધ્યક્ષ ભગુભાઈ વસાવા, જિલ્લા સહમંત્રી ધરમશીભાઈ ખત્રી, ડેડીયાપાડા જિલ્લા દુર્ગાવાહિની સંયોજીકા ભામીની બેન ઠક્કર, જિલ્લા બજરંગ દળ સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ, ગ્રામ્ય પ્રખડ અધ્યક્ષ વૈભવભાઈ પટેલ,સાગબારા પ્રખંડ અધ્યક્ષ બી.ડી ચૌધરી રાજપીપળા શહેર અધ્યક્ષ રાજદીપસિંહ ગોહિલ, રાજપીપળા શહેર મંત્રી પુથ્વીરાજ ચાવડા, બજરંગ દળ ગ્રામ્ય સહ સંયોજક,દિનેશભાઈ વસાવા,ભદામ બેઠકમાં ભરૂચ વિભાગ મંત્રી દુષ્યંતસિંહ સોલંકી ભરૂચ વિભાગ સંગઠન મંત્રી જીતુભાઈ ગોસ્વામીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું