વડોદરાના આજવા રોડ વિસ્તારમાં 20વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી
વડોદરા:શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના યુવકે બાથરૃમમાં જઇને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.બાપોદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આજવારોડ અમરદીપ હોમ્સમાં પરિવાર સાથે રહેતો બજરંગ ક્રિશ્નરામ સુથાર (ઉ.વ.૨૦) સુથારી કામ કરતો હતો.ગઇકાલે રાતે બજરંગ ે બાથરૃમમાં ગયો હતો.અને થોડીવાર પછી બાથરૃમમાંથી અવાજ આવતા તેના પિતા દોડી ગયા હતા.બાથરૃમનો દરવાજો અંદરથી બંધ હોય તેમને દરવાજો તોડી નાંખ્યો હતો.અને જોયું તો તેમનો પુત્ર નીચે પડયો હતો.તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,ટૂંકી સારવાર બાદ તેનું મોત થયુ હતું.બનાવ અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરતા બાથરૃમમાંથી કોપરનો તૂટેલો વાયર મળી આવ્યો હતો.અને એવી વિગત જાણવા મળી હતી કે,બજરંગે બાથરૃમની દીવાલ પરની ખીલી સાથે કોપરનો વાયર બાંધીને આપઘાત કરી લીધો હતો.પરંતુ,કોઇ ચિઠ્ઠી કે મોબાઇલમાં કોઇ મેસેજ આવ્યો નથી.