ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધી પ્રેમી યુગલે આપઘાત કરતા અરેરાટી
ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આપઘાત માટે હોટસ્પોટ બની રહી છે ત્યારે આંતરે દિવસે અહીં આપઘાતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે આજે અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલમાંથી ર૦થી રપ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના ડાબા હાથે મરૃન કલરનો દુપટ્ટો બાંધેલો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. ત્યારે ગઈકાલે અડાલજ પાસે કેનાલમાંથી એક યુવતિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જેના હાથમાં પણ મરૃન કલરનો દુપટ્ટો હતો. ૧૭થી ર૦ વર્ષની આ અજાણી યુવતિ અને યુવાને કેનાલમાં દુપટ્ટો બાંધીને છલાંગ લગાવી હોવાનું પોલીસ માની રહી છે. પ્રેમીયુગલે પ્રેમમાં હતાશ થઈને આ પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહયું છે. એટલું જ નહીં આ યુવક યુવતિના મૃતદેહ પણ બેત્રણ દિવસ અગાઉના હોવાથી તેમની ઓળખ માટે પોલીસે મથામણ શરૃ કરી છે અને આસપાસના વિસ્તારમાંથી ગાયબ થયેલા યુવક યુવતિની માહિતી મંગાવી છે.