ગુજરાત
News of Tuesday, 13th July 2021

વડોદરામાં બિઝનેસ લોન આપવાના બહાને 2.59 લાખ પડાવી લેનાર બે ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા.શ્રમજીવીને ૧૮ લાખ રૃપિયાની બિઝનેસ  લોન અપાવવાના બહાને ૨.૫૯ લાખ રૃપિયા પડાવી લેનાર બે ભેજાબાજોને પકડવા પોલીસ તેમના ઘરે ગઇ  હતી.પરંતુ, બંને ઘર છોડીને ફરાર થઇ ગયા હતા.

દાંડિયાબજાર મરીમાતાના ખાંચામાં રહેતા દિપકભાઇ નાયકને ધંધા માટેે રૃપિયાની જરૃરિયાત હોવાથી નવ  મહિના પહેલા હરિશ વાટુમલ ધારમાણી તથા મહેશ તુલસીદાસ અડવાણી (બંને રહે.બિલીપત્ર કોમ્પલેક્સ,હરણી વારસિયા રીંગરોડ) નો સંપર્ક કર્યો હતો.૧૮ લાખની બિઝનેસ  લોન  લેવા માટે  કુલ રૃપિયા ૨.૫૯ લાખ શ્રમજીવી પરિવારે આપ્યા હતા.હરિશભાઇ તથા મહેશભાઇએ  લોન નહી અપાવી છેતરપિંડી કરી હતી.તેમણે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા.પી.આઇ.કે.એન.લાઠિયાએે બંને આરોપીના ઘરે તપાસ કરી હતી.પરંતુ,બંને ઘર છોડીને ફરાર થઇ ગયા હતા.પોલીસે તેમના આશ્રયસ્થાનો પર તપાસ કરી છે

(6:26 pm IST)