ગુજરાત કેડરના IAS અધિકારી રાજ કુમારને ફરીથી રાજયમાં સ્થાન :ચીફ સેક્રટેરી તરીકે જવાબદારી સોંપાઈ તેવી શક્યતા
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય : રાજકુમાર રાવ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શાહના વિશ્વાસુ વ્યક્તિ
નવી દિલ્હી :ગુજરાત કેડરના IAS અધિકારી રાજ કુમારને ફરીથી રાજયમાં સ્થાન અપાયું છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વધુ એક મોટો નિર્ણય લેવાયો છે.જે અંતર્ગત ગુજરાત કેડરના આઇએએસ અધિકારી રાજકુમારને ગુજરાત સરકારમાં સ્થાન અપાયું છે, રાજકુમાર 1987ની બેચના આઈએએસ અધિકારી છે. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.તેમને હવે ફરીથી ગુજરાતમાં સ્થાન અપાયું છે .
સૂત્રો મુજબ ગુજરાત રાજ્યના આગામી ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારને સ્થાન આપવામાં આવી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે રાજકુમાર રાવ પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શાહના વિશ્વાસુ વ્યક્તિ છે. ગુજરાતના વિકાસમાં રાજકુમાર જેવા અધિકારીઓ મહત્વનો ભાગ ભજવી શકે છે, આગામી ચીફ સેક્રેટરી તરીકે પણ જવાબદારી સોંપાઈ તેવી શકયતા વ્યક્ત થઇ રહી છે