ટીવી-૯ના નરેન્દ્રસિંહ જાદવને નેલ્સન મંડેલા પીસ એવોર્ડ-૨૦૨૧ એનાયત
રાજકોટ તા. ૧૩: નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ એકેડમી એ વિશ્વની શ્રેષ્ઠ અકાદમીઓમાંની એક છે જેની પ્રવૃત્તિઓ સમાજના કલ્યાણ માટે છે. આ એકેડેમી સમાજના વિકાસ માટે કામ કરે છે અને સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને પણ પ્રોત્સાહન આપે છે. આ સંબંધમાં, એકેડેમીએ નરેન્દ્રસિંહ જોરાવરસિંહ જાદવને તેમના પત્રકારત્વ- મીડિયા ક્ષેત્રમાં છેલ્લા બાવીસ વર્ષના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. નરેન્દ્રસિંહ જાદવ હાલ ગુજરાતની ન્યુઝ ચેનલ ટીવી-૯ ગુજરાતીમાં એસોસિયેટ એડિટર તરીકે કાર્યરત છે. નરેન્દ્રસિંહ જાદવને પ્રિન્ટ મીડિયા અને ત્યારબાદ ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા કરેલી વિવિધ સમાજ ઉપયોગી ઉમદા કાર્યના યોગદાનનું અવલોકન કરીને મુંબઈ ખાતે આયોજિત સમારોહમમાં નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડ ૨૦૨૧ અર્પણ કરવામાં આવ્યો હતો.