ગુજરાત
News of Friday, 14th May 2021

વડીયા જકાતનાકા પાસે તાડફળી વેચનારે પોતાના પથારા પર વધુ માણસો એકઠા કરતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વડિયા જકાતનાકા પાસે તાડફળી વેચનાર વ્યક્તિ એ પોતાના પથારા પર વધુ માણસો ભેગા કરી જાહેરનામા નો ભંગ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી અનુસાર અમીતભાઈ અમરતભાઈ વસાવા (રહે.રાણીપરા તા - નાંદોદ)નાએ તાડફળી વેચવા લગાવેલા પથારા પર બુધવારે સાંજે સાત માણસો ભેગા કરેલ હોય જે અંગે પુછતા તેણે કોઇ સંતોષકારક જવાબ ન આપતા રાજપીપળા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આઈ. આર .દેસાઈ એ તેના વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો હતો.

(10:36 pm IST)