ગુજરાત
News of Friday, 14th May 2021

ગુજરાતના લાખો બ્રાહ્મણ પરિવારો દ્વારા પરશુરામ જયંતીની સાદ્દગીપૂર્ણ ઉજવણીઃ સાંજે દીપ પ્રાગટય

મહામારીના સમયમાં ભગવાનને વિશ્વ કલ્યાણની પ્રાર્થનાઃ પ્રમુખ હેમાંગ રાવલ

રાજકોટ તા. ૧૪ : સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના સ્થાપક ટ્રસ્ટી અને વિશ્વ બ્રાહ્મણ સંગઠનના ચેરમેન હેમાંગ રાવલ (અમદાવાદ) એ જણાવ્યા મુજબ આજે ગુજરાતના ૭૦ લાખ બ્રાહ્મણ પરિવારજનોએ શ્રી પરશુરામ જયંતીની સાદ્દગીપૂર્ણ ઉજવણી કરી છે  ઘરમાં રહો સુરક્ષિત રહો સંકલ્પ કરવામાં આવ્યો છે મહામારીના સમયમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી છે.

બ્રહ્મસમાજના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે આજે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીના પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનોએ હાલના સંજોગોને અનુલક્ષીને પીપળાના વૃક્ષ વાવીને ભગવાન શ્રી પરશુરામને વંદન કર્યા હતા. શ્રી પરશુરામ જયંતિના પાવન પ્રસંગે તપ, સંયમ, સેવા, પરોપકાર, પરાક્રમ, કર્તવ્ય, શકિતના પ્રતીક, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ સૌનુ કલ્યાણ કરે તેવી પ્રાર્થના

(3:45 pm IST)