ગુજરાત
News of Friday, 14th May 2021

વલસાડ જિલ્લામાં વહિવટી તંત્રનાં અથાગ પ્રયત્નો સામે પણ બેકાબૂ : આજે ૧૦૯ નવા કેસો..૯ દર્દીઓના કરુણ મોતથી અરેરાટી

જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : વલસાડ જિલ્લામાં કલેકટર રાવલ અને તેમની ટીમનાં અથાગ પ્રયત્નો બાદ પણ કોરોના બેકાબૂ જણાય છે.
   જીલ્લાના તાલુકાઓમાં આજે એટલે કે ૧૪ મી મેનાં રોજ વલસાડ ૨૯, પારડી ૧૬, વાપી ૧૧, ઉમરગામ ૨૪, ધરમપુર ૨૫, અને કપરાડા ૦૪ મળી ૧૦૯ નવા કેસો નોંધાયા, અને કોરોના આજે એક જ દિવસમાં માં વધુ ૯ દર્દી ઓ ને ભરખી ગયો છે.
 જોકે આજે ૧૧૬ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે, હાલ જીલ્લા માં ૧૦૫૪ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:58 pm IST)