ગુજરાત
News of Friday, 14th May 2021

રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અદ્યતન સ્મશાન માટેની કામગીરીની શરૂઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગની અપેક્ષાથી હાથ ધરવામાં આવ્યો છે જેથી તેની કામગીર ની  શરૂઆત આજે અખાત્રીજના શુભ દીવસે કરવામાં આવી છે, અંદાજીત 32 લાખ જેવા ખર્ચે આ અદ્યતન સ્મશાન શરૂ થશે તેમ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાના ગુંજન મલાવીયા ,તેજશભાઈ ગાંધી,ઉરેશભાઈ પરીખ, કૌશલભાઈ કાપડિયા,અજિતભાઈ પરીખ,કેયુરભાઈ ગાંધી,દર્શકભાઈ પરીખ દ્વારા જાણવા મળ્યું છે.
 અત્રે ઉલ્લેખનીય છેકે રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનોની માનવતાથી કોવિડ હોસ્પિટલમાં અત્યારસુધી જિલ્લાના જેટલા પણ દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેવા તમામની અંતિમક્રિયા રાજપીપળાના કોવિડ સ્મશાનમાં લાકડાની સગડી દ્વારા કરવામાં આવી છે, હવે આ નવીનીકરણ બાદ ગેસની સગડી દ્વારા પણ કરવામાં આવશે.

(10:24 pm IST)