અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલ પર ગંભીર આરોપઃ દર્દીનું મૃત્યુ થયું છતાં હોસ્પિટલે રૂપિયા માટે વેન્ટિલેટર પર રાખ્યા
પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર ચાલુ રાખવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ મુક્યો
અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલમાં દર્દીનું એક દિવસ પહેલા મૃત્યુ થયું હોવા છતાં પૈસા માટે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાનો આરોપ છે. પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર ચાલુ રાખવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ મુક્યો હતો
લીવરની બીમારીથી પીડાતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દર્દીના મૃત્યુબાદ મૃતદેહ આપવામાં આવ્યો ન હતો. રાજસ્થાન હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં ના આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી.પરિવારનો આરોપ છે કે દર્દીનું મૃત્યુ થયું હોવા છતાં રૂપિયા 35 હજારની દવાઓ મંગાવવામાં આવી હતી. દીકરાના મૃતદેહ માટે માતાએ હોસ્પિટલમાં આક્રંદ કર્યુ હતુ. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 1.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. 33 વર્ષીય ચિરાગ વ્યાસનું રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતુ.
રાજ્યમાં અનેક વાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે દર્દીના પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવામાં આવે.