ગુજરાત
News of Saturday, 14th May 2022

રાજપીપળાથી રામગઢ જતા પુલની કામગીરી શરૂ થતાં ટુંક સમયમાં ભારે વાહનો માટે પુલ ખુલ્લો મુકાશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના કરજણ ઓવારે બનેલો રાજપીપળાથી રામગઢને જોડતા પુલમાં બે વખત પીલ્લરમાં ખરાબી આવ્યા બાદ હાલ આ બાબતની કામગીરી ઝડપથી ચાલુ થતાં લાંબા સમયથી ભારે વાહનો માટે બંધ આ પુલ ટુંક સમયમાં તમામ વાહનો માટે શરૂ થશે
રાજપીપળાથી રામગઢ ને જોડતા કરજણ ઓવારા પાસેના આ પુલમાં અગાઉ બે વખત પીલ્લર માં ખામી થતાં વચ્ચેથી થોડોક બેસી ગયો હોય તેમ જણાતા તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં પુલની કામગીરી ખૂબ ઝડપથી શરૂ થતાં આ પુલ હવે ટૂંક સમયમાં નાના મોટા દરેક વાહનો માટે ખુલ્લો કરાશે.

(10:26 pm IST)