ગુજરાત
News of Monday, 14th June 2021

નિવાલ્દા ગામમાં પરણીતા એ સાસરિયાઓના ત્રાસે ઝેરી દવા પી લીધી હોવાનો 06 વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપડા તાલુકાના નિવાલ્દા ગામમાં પરણીતાને ત્રાસ આપતા સસરિયાઓ સામે રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઈ છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર સુનિતાબેન બિપીનચંદ્ર વસાવા ( રહે.નિવાલ્દા મિશન ફળીયું )એ આપેલી ફરીયાદ મુજબ તેમના સાસરિયાં દસેક મહીનાથી તેમને અવાર નવાર માનસિક શારીરિક ત્રાસ આપતા હોય જેથી સુનિતાબેન તેમના પિયર ચાલ્યા ગયા હતા ત્યારબાદ તારીખ 11 જૂને જણાવ્યું કે હવે તને છૂટાછેડા આપી દેવાના છે તેમ જણાવતા તેમને લાગી આવતા તેઓ ઝેરી દવા પી ગયા હોય દવા પીવા મજબૂર કરનારા અને ત્રાસ આપનાર સાસરિયાઓ પૈકી સસરા ,મારગીયાભાઇ ઉબડીયાભાઇ વસાવા,સાસુ, મંજુલાબેન મારગીયાભાઇ વસાવા,પતિ, બિપીનચંદ્ર મારગીયાભાઇ વસાવા,જેઠ. સુરેશભાઈ મારગિયા વાસવા, અને નદંડ વિમલાબેન મગનભાઇ કાનજીભાઇ વસાવા ( રહે ઝરણાવાડી,તા. ડેડીયાપાડા )તથા સંગીતાબેન મનસુખભાઇ જામલીયાભાઇ વસાવા,( રહે. નિવાલ્દા) વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

(9:58 pm IST)