News of Tuesday, 14th June 2022
અમદાવાદ :દીકરાને ઢોર માર મારતા ગુસ્સામાં આવીને પત્નીએ પતિની છરી મારીને હત્યા કરી
ચાંદલોડિયાની જય અદિતી સોસાયટી ખાતે બનાવ : પતિ તેની પત્નીને દરરોજ માર મારતો હોવાનો આક્ષેપ
અમદાવાદ શહેરમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી છે. એવી માહિતી સામે આવી છે કે દીકરાને ઢોર માર મારતા ગુસ્સામાં આવીને પત્નીએ પતિની છરી મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે રાત્રે પતિ તેના બાળકને માર મારી રહ્યો હતો. આ દરમિયાન પત્ની બાળકને છોડાવવા વચ્ચે પડી હતી. પતિએ બાળકને માર મારવાનું ચાલુ રાખતા પત્નીએ તેના પતિને છરી મારી દીધી હતી. સામે આવેલી વિગત પ્રમાણે મૃતક વિજયસિંહ યાદવ બસ ચલાવવાનું કામ કરતો હતો. હત્યાના ગુનામાં પોલીસે હાલ આરોપી પત્ની દીપમાલા ની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર બનાવ ચાંદલોડિયાની જય અદિતી સોસાયટી ખાતે બન્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પતિ તેની પત્નીને દરરોજ માર મારતો હતો.
(10:24 pm IST)