વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી
વડોદરા: શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી દસમા ધોરણની વિદ્યાર્થીની નું અગાઉના પડોશી યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકાના પગલે કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરા તેનું આધારકાર્ડને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ લઈ ગઈ છે.તુલસીવાડી માં રહેતી મુસ્લિમ મહિલાએ પોલીસને કહ્યું છે કે,સ્કૂલમાં અભ્યાસ કરતી મારી પુત્રી કેટલાક સમયથી ઘેર હતી અને મારે તેને આગળ ભણાવવી હતી.અગાઉ મારા પડોસ માં મુસ્લિમ પરિવાર રહેતું હતું તે સુરત ખાતે ચાલ્યું ગયું છે. એક સપ્તાહ પહેલા સુરતથી પડોશી મહિલા મળવા માટે આવી હતી અને તેણે તેના પુત્ર માટે મારી પુત્રીના લગ્નની વાત કરી હતી પરંતુ મેં સ્વીકારી નહોતી.તારા ૧૧મીએ હું બારગામ કરી હતી તે દરમિયાન મારી પુત્રી કપડાં લેવાના બહાને ક્યાંક ચાલી ગઇ છે. જેની તપાસ કરતા કોઈ પત્તો મળ્યો ન હતો. મને સુરતમાં રહેતી મારી પૂર્વ પાડોશી ઉપર શંકા જતા ફોન કર્યો હતો પરંતુ ઘણા સમય સુધી ફોન લાગ્યો ન હતો. ફોન લાગતા પાડોશીની પુત્રીએ તેનો ભાઈ ક્યાં છે તેની જાણ નથી તેવો જવાબ આપ્યો હતો. જ્યારે શકમંદ યુવક નો ફોન બંધ આવી રહ્યો છે. કારેલીબાગ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.