સચાણા જિલ્લા પંચાયત સીટના ગામડાઓમાં ભાજપ દ્વારા ખાટલા બેઠક યોજાઇ
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લામાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : કૃષિ સુધાર બિલ 2020 વિધેયકની સાચી માહિતી ખેડુતોને પહોંચાડવાના અભિયાન અંતર્ગત બુધવારેના સચાણા જીલ્લા પંચાયત સીટના ગામડામાં ખાટલા બેઠક યોજાઇ હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ જિલ્લામાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં જન જાગરણ અભિયાન (ખાટલા બેઠક) સમાપન કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ તાલુકામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા ઓનલાઇન કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો.
આત્મનિર્ભર ખેડુત જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ તાલુકા ભાજપ દ્વારા સચાણા જિલ્લા પંચાયત અંતર્ગત દસલાણા તાલુકા સીટ, જુનાપાધર તાલુકા સીટ અને મેલજ ગામમાં ખાટલા બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહીલ, વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી દિપકભાઈ પટેલ, વિરમગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રમોદભાઈ પટેલ, વિષ્ણુભાઈ ઠાકોર, શંકરભાઈ ઠાકોર, શરદભાઈ પટેલ, નવઘણભાઈ ભરવાડ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિતિમાં રહ્યા હતા.