અમદાવાદમાં સ્કૂલ બાદ હવે કોલેજનો વિવાદઃ એસ.આર. મહેતા આર્ટસ કોલેજે પ્રવેશ સમિતિએ પ્રવેશ ફાળવ્યો હોવા છતાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો
અમદાવાદ : શહેરમાં સ્કૂલ બાદ હવે કોલેજનો એક વિવાદ સામે આવ્યો છે. શહેરના આશ્રમ રોડ પર આવેલ એસ.આર મહેતા આર્ટ્સ કોલેજની મનમાની સામે આવી છે. એસ.આર મહેતા આર્ટ્સ કોલેજે 30થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ઇન્કાર કરી દીધો છે. પ્રવેશ સમિતિએ પ્રવેશ ફાળવ્યો હોવા છતાં પણ પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેતા વિદ્યાર્થીઓના એડમિશન અટવાઇ ગયા છે. જેથી વિદ્યાર્થીઓએ કોલેજથી યુનિવર્સિટી અને યુનિ.થી કોલેજના ધક્કા ખાવા પડી રહ્યાં છે.
અત્રે નોંધનીય છે કે, કોલેજની મનમાનીને કારણે વિદ્યાર્થીઓના એડમિશન અટવાઇ ગયા છે. પ્રવેશ સમિતિએ પ્રવેશ ફાળવ્યો હોવા છતા એડમિશનની ના કહી દેતા તાત્કાલિક ધોરણે પ્રવેશ આપવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરાઇ રહી છે. કોલેજની સીટો ભરાઇ ગઇ હોવાનું જણાવી પ્રવેશ આપવાનો એસ.આર મહેતા આર્ટ્સ કોલેજે ઇન્કાર કરી દીધો છે. યુનિવર્સિટીના નિયમોની ઉપરવટ જઇને કોલેજે બે વર્ગો બંધ કરી દીધાં છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓએ જો પ્રવેશ આપવામાં નહીં આવે તો આ અંગે ફરિયાદ કરવા જણાવ્યું છે.