ગુજરાત
News of Saturday, 14th November 2020

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબાજી માતાજી મંદિરના આરતી-દર્શનના સમયમાં દિવાળી પર્વ નિમિતે ફેરફાર

અંબાજી: કોરોના મહામારી અને દિવાળીને કારણે રાજ્યમાં અનેક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ એવું અંબાજી મંદિર કે જેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લઇને લાભ પાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી માતાના મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતાને ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી.

 

તા. 15/11/2020 રવિવાર (આસો સુદ અમાસ)

આરતી સવારે- ૭.૦૦ થી ૭.૩૦

દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૦૦

અન્નકુટ આરતી- ૧૨.૦૦ થી ૧૨.૩૦

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

તા. 16/11/2020 સોમવાર (બેસતું વર્ષ)

આરતી સવારે- ૬.૦૦ થી ૬.૩૦

દર્શન સવારે- ૬.૩૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ થી ૧૨.૩૦

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

તા. 17થી19 સુધી ભાઈબીજથી લાભપાંચમ

આરતી સવારે- ૬.૩૦ થી ૭.૦૦

દર્શન સવારે- ૭.૦૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ કલાકે

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૩.૦૦

તા. 20/11/2020થી દર્શનનો સમય

આરતી સવારે- ૭.૩૦ થી ૮.૦૦

દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦

રોજભોગ- ૧૨.૦૦ કલાકે

દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૧૫

આરતી સાંજે- ૧૮.૩૦ થી ૧૯.૦૦

દર્શન સાંજે- ૧૯.૦૦ થી ૨૧.૦૦

(4:39 pm IST)