દિવાળી પર્વ નિમિત્તે શ્રી સરદાર પટેલ ફાઉન્ડેશન દ્વારા "મા બાપ એક મંદિર" કાર્યક્રમનું યોજાયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નાંદોદ તાલુકાના ભદામ ખાતે સાચું તીર્થ માતા-પિતા તેમજ" મા-બાપ એક મંદિર"ના વિષય ઉપર સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અંતર્ગત ગામના યુવાનો યુવતીઓ દ્વારા પોતાનાં માતા-પિતાનું ફુલ-હાર , તિલક આરતી દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતા પિતાનો મહિમા વર્ણવતા ગીતો અને ભજનો મુંબઈથી પધારેલા મહેમાન કલાકાર અને જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર શિવરામભાઈ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તે સાથે માતા પિતા વિશેના ગરબા અને અને ગીતો પણ ગામના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.ગામની દીકરીઓ દ્વારા માતા પિતાનો મહિમા દર્શાવતું વક્તવ્ય પણ કરવામાં આવ્યું હતું અને અતિથિવિશેષ શિવરામભાઈ પરમાર દ્વારા સર્વ બાળા ઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું