ગુજરાત
News of Friday, 15th January 2021

મકરસંક્રાંતિ પર્વે SGVP ગુરુકુલમાં ત્રિવેણી કાર્યક્રમ ધનુર્માસની પુર્ણાહૂતિ, ગૌપૂજન અને મેમનગર ગુરુકુલમાં નુતન સંત ભોજનાલયનું ખાત મૂહુર્ત

અમદાવાદ તા. ૧૪ મકરસંક્રાંતિ પર્વ એ ભારતનું પનોતુ પર્વ છે. સારાયે ભારતમાં આ ઉત્સવ ઉજવાય છે. લોકો દાનપૂણ્ય કરીને સેવા અને કૃતાર્થતાની ભાવના વ્યકત કરે છે.

આજ ઉતરાયણ દિને ભારત વર્ષના મહાપુરુષ ભીષ્મદાદાએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.

પવિત્ર મકરસંક્રાંતિ દિને, ધનુર્માસ નિમિત્તે, sGVP ગુરુુકુલમાં છેલ્લા એક માસ થયા ઓન લાઇન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વકતા પદે શ્રીમદ્ ભાગવત કથામૃત ચાલી રહેલ તેનો લાભ  વિદેશના લોકો લઇ રહ્યા હતા.

તે ધનુર્માસની પૂર્ણાહૂતિ જનમંગલસ્તોત્રની ૧૦૮ નામાવલિ સાથે તુલસીદળથી પૂજન કરવામાં આવેલ.

આ જ મકરસંક્રાન્તિ પર્વે મેમનગર ગુરુકુલ ખાતે નૂતન  આકાર લઇ રહેલ સંત ભોજનલયનું ખાત મૂહુર્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી શા..માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

આજ દિવસે મેમનગર ગુરુકુલ અને એસજીવીપી ગુરુકુલમાં માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીઅે ગાયોને લાડુ, ગોળ વગેરે ખવરાવી, મસ્તકે ચાંદલો કરી ગૌપૂજન કરેલ.

ગૌપૂજનનો મહિમા સમજાવતા સ્વામીજીએ કહેલ કે,ખરેખર ગાય માત્ર આસ્થાનો જ વિષય નથી. પણ ભારતીય અર્થ વ્યવસ્થાનો મોટો આધાર ગૌવંશ છે. ઓર્ગેનિક ખેતી માટે ગૌવંશ અત્યંત ઉપયોગી છે.

   દેશી ગાયોનું દૂધ, દહીં, ઘી વગેરે પંચગવ્ય માનવ માટે આરોગ્યપ્રદ છે. ગાયના દૂધ, માખણ, ઘી, ગૌમુત્ર વગેરેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે.

(10:32 pm IST)