સુરતના પાંડેસરામાં મકાનના મુદ્દે પત્ની સાથે ઝઘડો કરી પિતાએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
સુરત: શહેરના પાંડેસરામાં મકાનના મુદે પત્ની સાથે રકઝકમાં પતિએ ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.જયારે બીજા બનાવમાં અમરોલીમાં યુવાને ફાંસો ખાધો હતો. તેણ પ્રેમ પ્રકરણમા આપઘાત કર્યો હોવાની શકયતા છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભૈરવનગર નજીક દિપ જ્યોતી સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય સંતોષ રમાશંકર યાદવે ગુરૃવારે બપોરે ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.સંતોષ મુળ ઉતરપ્રદેશનો વતની હતો.તેને સંતાનમાં એક પુત્રી છે.તે મુંબઇની કંપનીમાં એન્જીનીયર હતો. હાલમા તે ઓનલાઇન કામ કાજ કરતો હતો.તેની પત્ની પરવત પાટીયાની શાળામાં શિક્ષિકા છે. મકાનના મુદે પત્ની સાથે તેની બોલાચાલી થઇ હતી.જેથી તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ.આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં અમરોલીમાં કોસાડમાં રહેતો ૨૧ વર્ષીય સીતેષકુમાર બહેરાએ ગુરૃવારે વહેલી સવારે ઘરમાં છતના પંખા સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.પોલીસ સુત્રો કહ્યુ કે સીતેષકુમાર મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો.તેના મોબાઇલના સ્ટેટસ પરથી તેણે પ્રેમ પ્રકરણમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે.તે સંચાખાતામાં કામ કરતો હતો.આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.