ગુજરાત
News of Saturday, 15th May 2021

રાજ્યમાં કોરોનાના નવા 9,061 કેસ નોંધાયા : વધુ 15.076 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 95 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9039 થયો : કુલ 6,24,107 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 31,301 લોકોનું રસીકરણ કરાયું: સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કેસ

અમદાવાદમાં 2460 કેસ, વડોદરામાં 1034 કેસ, સુરતમાં 806 કેસ,રાજકોટમાં 476 કેસ, જૂનાગઢમાં 433 કેસ, જામનગરમાં 362 કેસ, મહેસાણામાં 234 કેસ, ભાવનગરમાં 285 કેસ,આણંદમાં 229 કેસ, ગાંધીનગરમાં 216 કેસ, અમરેલીમાં 202 કેસ, સાબરકાંઠામાં 191 કેસ,મહીસાગરમાં 181 કેસ,ગીર સોમનાથમાં 175 કેસ,દાહોદમાં 170 કેસ, બનાસકાંઠામાં 167 કેસ, પાટણમાં 157 કેસ,ખેડામાં 155 કેસ,કચ્છમાં 153 કેસ,અરવલ્લીમાં 140 કેસ, પંચમહાલમાં 136 કેસ,વલસાડમાં 118 કેસ,ભરૂચમાં 108 કેસ નોંધાયા : હાલમાં 1,11,263 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે સતત બીજા દિવસે રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 9061  નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 15,076 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા  9061 કેસ નોંધાયા છે જયારે વધુ 15,076 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,24,107 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 95 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9039 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 83,84 ટકા થયો છે

     રાજ્યમાં હાલ 1,11,263 એક્ટિવ કેસ છે, જેમાંથી 791 લોકો વેન્ટિલેટર પર અને 1,10,472 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,24,107 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

    રાજ્યમાં આજે વધુ 31301 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,47.83,212 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9061 કેસમાં અમદાવાદમાં 2460 કેસ, વડોદરામાં 1034 કેસ, સુરતમાં 806 કેસ,રાજકોટમાં 476 કેસ, જૂનાગઢમાં 433 કેસ, જામનગરમાં 362 કેસ, મહેસાણામાં 234 કેસ, ભાવનગરમાં 285 કેસ,આણંદમાં 229 કેસ, ગાંધીનગરમાં 216 કેસ, અમરેલીમાં 202 કેસ, સાબરકાંઠામાં 191 કેસ,મહીસાગરમાં 181 કેસ,ગીર સોમનાથમાં 175 કેસ,દાહોદમાં 170 કેસ, બનાસકાંઠામાં 167 કેસ, પાટણમાં 157 કેસ,ખેડામાં 155 કેસ,કચ્છમાં 153 કેસ,અરવલ્લીમાં 140 કેસ, પંચમહાલમાં 136 કેસ,વલસાડમાં 118 કેસ,ભરૂચમાં 108 કેસ નોંધાયા છે

 

(7:30 pm IST)