સુરતના પનાસ વિસ્તારમાં પતિથી અલગ રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ
સુરત: શહેરના પનાસ વિસ્તારમા પતિથી અલગ રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરી પુત્રને પતિના હવાલે કરાવી છુટાછેડા લીધા બાદ તરછોડી દેનાર કથિત નરાધમ પ્રેમી વિરૂધ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
પનાસગામ વિસ્તારમાં રહેતી અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી પ્રિયંકા (ઉ.વ.26,નામ બદલ્યું છે) એપ્રિલ 2012માં સંદીપ અશોક રામસે સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં 6 વર્ષનો પુત્ર છે. પરંતુ પતિ સાથે મનમેળ નહીં હોવાથી પ્રિયંકા પતિથી અલગ રહેતી હતી તે દરમિયાન વર્ષ 2019 માં તેનો પરિચય ગૌરવ અનિલ પાટીલ (રહે.સની પેલેસ, ફળસી, ખામગાવ, મહારાષ્ટ્ર) સાથે થયો હતો.
ગૌરવે પ્રિયંકાને કહ્યું હતું કે તું તારા પતિ સાથે છુટ્ટા છેડા લઇ લે, તારા પુત્રને પણ પતિના હવાલે કરી દે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. જેથી પ્રિયંકાએ શરૂઆતમાં ઇન્કાર કર્યા બાદ ગૌરવની વાત માની લીધી હતી. દરમિયાનમાં ગૌરવ તેના વતનથી સુરત આવ્યો હતો અને વેસુ શ્યામબાબા મંદિર પાસે આવેલી એક હોટલમાં અને અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર મેસીમો કોમ્પલેક્ષમાં આવેલ ઓયો હોટલમાં મળવા બોલાવી લગ્ન કરશે એમ કહી દુષ્કર્મ કર્યુ હતું.