ગુજરાત
News of Tuesday, 15th June 2021

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ડોકટરે ગાય પર એસિડ ફેંક્યું હોવાની વાત સામે આવતા તપાસની માંગણી કરવામાં આવી

વડોદરા:શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી પાસેના વિસ્તારમાં ગઈ મોડીરાત્રે એક ડૉક્ટરે ગાય ઉપર એસિડ ફેકતા સ્થાનિક યુવકોએ તેનો ઉઘડો લીધો હતો અને દવાખાનામાં પડી રહેલા જૂના ગ્લુકોઝના બોટલો દવાઓ જોઈ લાયસન્સ તપાસની માગણી કરી હતી.

ગઈકાલે રાત્રે ગાજરાવાડી પાણીની ટાંકી વિસ્તારમાં એક ગાય ઉપર કોઈ વ્યક્તિએ એસિડ ફેંક્યો હતો જેને કારણે ગાય ખુબ દાઝી ગઇ હતી તે કિસ્સાને કારણે સ્થાનિક યુવકોને નજીકમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર પર શક ગયો હતો.

દવાખાનામાં વપરાતું એસિડ ગાય માતા પર ફેંક્યું હોવાની શંકા રાખી દવાખાનામાં બેઠેલા ડોક્ટરને ઘેરાવો કરી તમે એસિડ નાખ્યું છે અને તેને કારણે લોકોની લાગણી દુભાઈ છે. તેમ કહી યુવકોએ દવાખાનામાં એસિડનો જથ્થો છે કે નહીં તેની તપાસ કરી હતી તેની સાથે ખાલી ગ્લુકોઝના બોટલો તેમજ એક્સપાયરી થઈ ગયેલી દવાઓનો જથ્થો ત્યાં પડેલો મળી આવ્યો હતો.

(6:15 pm IST)