ગુજરાત
News of Wednesday, 15th September 2021

મુખ્યમંત્રી કાર્યાલયમાં પંકજ જોષી, અવંતિકા સિંઘ, એમ.ડી.મોડિયા અને એન.એન.દવેની નિમણૂક

ધરખમ ફેરફારોના શ્રીગણેશ કરતા ભૂપેન્દ્ર પટેલ : એમ.કે.દાસ, અશ્વિનીકુમાર, શાહને નવી નિમણૂક અપાશે

રાજકોટ તા. ૧૫ : નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી દૃષ્ટિએ ફેરફારોનો પ્રારંભ ઘર આંગણે મુખ્યમંત્રી કાર્યાલયથી જ કર્યો છે.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસના સ્થાને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સચિવ અશ્વિનીકુમારની જગ્યાએ મેરીટાઇમ બોર્ડના સી.ઇ.ઓ. અવંતિકાસિંઘ ઔલખ, ઓ.એસ.ડી. કે.એન.શાહની જગ્યાએ ભરૂચના કલેકટર એમ.ડી.મોડિયા અને બીજા ઓ.એસ.ડી. ડી.એચ.શાહની જગ્યાએ અમદાવાદના ડે.મ્યુ. કમિશનર એન.એન.દવેની નિમણૂંક કરવામાં આવી છે.

(1:13 pm IST)