ગુજરાત
News of Saturday, 16th January 2021

રાજપીપળાની ભાવનગર પરણાવેલી પરણિતાના છૂટા છેડા થયા ન હોવા છતાં પતિએ બીજા લગ્ન કરતા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સોનિવાડમાં રહેતી યુવતીના ભાવનગર ખાતે લગ્ન થયા બાદ સસરિયાઓ સાથે મતભેદ થતા ઘણા મહિનાઓથી આ પરિણીતા પોતાના પિયર રાજપીપળામાં રહેતી હોય પરંતુ પતિએ બીજા લગ્ન કર્યાની જાણ થતાં જ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા સોનિવાડમાં રહેતી દીપિકાબેન ગણેશભાઈ ખટિકની ફરિયાદ અનુસાર તેમના લગ્ન ભાવનગર રહેતાં વિજેશભાઈ જગન્નાથ ખટિક સાથે થયા બાદ માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાથી દીપિકાબેન તેની એક બાળકી સાથે પિયરમાં પિતાને ત્યાં આવી રાજપીપળા પો.સ્ટે.માં આગાઉ ફરિયાદ પણ આપેલ હોય પરંતુ દીપિકાબેનને જાણવા મળ્યું કે તેના પતિ એ તેની સાથે છૂટાછેડા નહિ થયા હોવા છતાં અને તેમના લગ્ન જીવન દરમિયાન એક બાળકી હોવા છતાં અન્ય મહીલા સાથે ડભોઇમાં લગ્ન કર્યા હોય દીપિકાબેનએ પતિ વિજેશ ખટિક, બીજી પત્ની નિશા, સસરા કુકાજી ખટિક તેમજ સાસુ સુશીલાબેન ખટિક સહીત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:15 pm IST)