શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનો વિરમગામ ખાતે શુભારંભ
બ્રહ્મા કુમારી ધર્મિષ્ઠાદીદીના આશીર્વચનથી અને સ્વામિનારાયણ ગુરુકુલ સોકલીના સમર્પણથી મંગલ શુભારંભ :૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સમગ્ર દેશમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે વ્યાપક નિધિ સમર્પણ અભિયાન
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ ઉપક્રમે વિરમગામ મધ્યસ્થ કાર્યાલય ખાતે બ્રહ્મા કુમારી ધર્મિષ્ઠા દીદી ઉપસ્થિત રહ્યા હતા અને એમને ઉપરોક્ત અભિયાન નું મહત્વ સમજાવ્યું હતું. ભગવાન શ્રીરામ ના મંદિર નિર્માણ અર્થે તન મન અને ધનથી સમર્પણ કરવા સર્વે ઉપસ્થિત રામભક્તો ને આહવાન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો એ સામે ચાલીને ચેક અને રોકડ સ્વરૂપે નિધિ સમર્પણ કર્યું હતું. અને આ પવિત્ર કાર્ય કરવાની તક મળવા બદલ ધન્યતા અનુભવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સોકલી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા પણ રૂપિયા 51, 000 નું સમર્પણ કરવા માં આવ્યું છે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મભુમી પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ આગામી મકરસંક્રાંતિ થી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે આ અભિયાન ચાલવા નું છે