ગુજરાત
News of Sunday, 16th May 2021

જુના ધાંટા ગામ માં વાછરડા ને માર મારતા મારામારી બાદ મારી નાંખવાની ધામકી માં 04 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જુના ધાંટા ગામ માં વાછરડા બાબતે થયેલી બોલાચાલી બાદ માર મારી ધમકી આપનાર ચાર વિરુદ્ધ ફરીયાદ થવા પામી છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર રસુલભાઇ રામાભાઇ વસાવા (રહે. જુના ધાંટા ઉપલુફળિયુ તા.નાંદોદ ) ની ફરીયાદ મુજબ શુક્રવારે બપોરે 3.15 વાગે તેમનું વાછરડુ નજીકમાં રહેતા કિશનભાઇ સંજયભાઇ વસાવાના ધરના આંગણામા જતા તેણે વાછરડાને સોટી મારતા રસુલભાઈએ અમારા વાછરડાને કેમ માર્યું તેમ કહેતા કિશન એક દમ ઉશકેરાઇ જઇ ગાળો બોલી ઢીકાપાટુ નો મારમારી તથા સુરેંદ્રભાઇ સેવરિયાભાઇ વસાવાએ કપાળમાં પથ્થર મારી ઇજા પહોંચાડી તેમજ કિશોરભાઇ નટવરભાઇ વસાવા અને અમિતભાઇ સંજયભાઇ વસાવાએ છોડાવવા વચ્ચે પડેલા દાદુભાઇ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરતા આમલેથા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:10 pm IST)