વડોદરા:વારસિયા રિંગરોડ પરની સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાને ફાસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી
વડોદરા: શહેરના વારસિયા રિંગરોડ પરની સોસાયટીમાં યુવાને રહસ્યમય સંજોગોમાં પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે વારસિયા રિંગરોડ પર આવેલી ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષના સુનિલ રમેશભાઇ વિશપુતેએ આજે ૧૧ વાગ્યા પહેલા ઘરના ઉપરના માળે બેડરૃમમાં પંખાના હૂક પર નાયલોનની દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા વારસિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના ચાર વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા અને તે ડિપ્રેશનમાં રહેતો હતો. આપઘાતના અન્ય બનાવમાં પાવીજેતપુર તાલુકાના કંડા ગામના મૂળ વતની મોહનભાઇ રાઠવાની પુત્રી જયશ્રી શહેરના કલાલી વિસ્તારમાં ઇમ્પિરિયલ કન્ટ્રીયાર્ડ પાસે નવી બંધાતી સાઇટ પર આવી હતી. આજે સવારે તેને નાયલોનની દોરીથી રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. બનાવ અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.