ગુજરાત
News of Monday, 15th August 2022

સ્વતંત્રતા પર્વ પર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા મંડળ અને અમદાવાદ ઉપમંડલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું : સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્વતંત્રતા પર્વ પર વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા મંડળ અને અમદાવાદ ઉપમંડળના સંયુક્ત ઉપક્રમે મુનસર તળાવ ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુનસર તળાવ સહિતના ઐતિહાસિક સ્મારકોની જાળવણી તથા સફાઈ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, સરકારી અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો વિશિષ્ટ નાગરિકો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

(12:20 am IST)