કેજરીવાલ આ મહિનામાં ચોથીવાર ગુજરાતમાં : ભુજ ટાઉનહોલમાં બેઠક :મહત્વની જાહેરાત કરી
આગામી ચૂંટણીના સબંધમાં પાર્ટીના નેતાઓની સાથે બેઠક
ગાંધીનગર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભૂજમાં ટાઉન હૉલ બેઠકમાં કેજરીવાલ ભાગ લેશે. આમ આદમી પાર્ટીના એક નેતાએ જણાવ્યુ કે તે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનો આ મહિને ગુજરાતનો આ ચોથો પ્રવાસ છે.
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આપની ગુજરાત પ્રદેશના મહાસચિવ મનોજ સોરઠિયાએ એક વીડિયો મેસેજમાં કહ્યુ કે કેજરીવાલ ભૂજમાં એક પત્રકાર સમ્મેલન અને ટાઉન હોલો કાર્યક્રમને સંબોધિત કરશે.
આ રાજ્યના લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. તે આગામી ચૂંટણીના સબંધમાં પાર્ટીના નેતાઓની સાથે એક બેઠક પણ કરશે. કેજરીવાલે એક ઓગસ્ટે ગિર સોમનાથ જિલ્લામાં એક મોટી સભાને સંબોધિત કરી હતી અને રાજકોટના એક મંદિરમાં પૂજા પણ કરી હતી, તેમણે 6 અને 7 ઓગસ્ટે જામનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં જનજાતિ વિસ્તાર બોડેલીનો પ્રવાસ પણ કર્યો હતો.