સુરત ભાજપના અગ્રણી અને પૂર્વ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરત ભાજપના અગ્રીમ નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર પી.વી.એસ શર્મા એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. મોટો ખળભળાટ સર્જાયો છે. સિરિયસ તબિયત હોવાની ચર્ચા થઈ રહી છે.હાલ મહાવીર હોસ્પિટલમાં તેમને તાકીદની સારવાર અપાઈ રહી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે તાકીદની અસરથી આવતીકાલે સોમવારે સવારે યોજાયેલ દિવાળી નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ રદ કરી નાખ્યો છે. તેમના અને શર્મા વચ્ચે લાંબા સમયથી મનદુઃખ હોવાની પણ ચર્ચા છે.
શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં આજે જ ફરિયાદ નોંધાઇ હતી. ન્યૂઝ પેપરની ઓફિસમાં જાહેરાતના બોગસ દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ મુકાયો છે. આ પૂર્વે થોડા સમય પહેલા જ શર્મા દ્વારા નોટબંધી વખતે કૌભાંડ થયાનો ભાજપ નેતા ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમના ઉપર આવકવેરાએ ધોસ બોલાવી'તી.