News of Monday, 16th November 2020
અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં અમરાઈવાડી નજીક જવાના રસ્તે ભુવો પડતા લોકોને અવરજવર કરવામાં હાલાકી
અમદાવાદ: શહેરમાં ગોમતીપુર વોર્ડમાં અજિત મીલ ચાર રસ્તાથી અમરાઇવાડી જવાના રસ્તા પર મણિયાર પાસે મુખ્ય રોડ પર મોટો ભુવો પડી ગયો છે. આખુ બાઇક અંદર ઉતરી જાય તેટલો મોટો ભુવો પડી જતા મ્યુનિ.તંત્ર દ્વારા સલામતીના કારણોસર ભુવાનો કોર્ડન કરી દેવાયો છે.
મેગાસિટી અમદાવાદમાં બારેમાસ ભુવા પડવાની વાત સામાન્ય બની ગઇ છે. વર્ષો જુની ગટર-પાણીની ખવાઇ ગયેલી લાઇનો, સમયાંતરે મરામતનો અભાવ, ગટરમાં ગંદા પાણી સિવાય અન્ય કચરો પણ ઠાલવી દેવાની વૃતિ સહિતના કારણોસર કોઇ એક જગ્યાએ લાઇનો ચોકઅપ થવી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે ભુવા પડી જવાની સ્થિતિ સર્જાઇ રહી છે.
(4:55 pm IST)