ગુજરાત
News of Monday, 17th January 2022

યાત્રાધામ બહુચરાજી મંદિર કાલથી 22 તારીખ સુધી છ દિવસ ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

પૂનમે યાત્રિકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી મંદિર આવતી કાલથી 22 તારીખ સુધી બંધ કરવામાં આવશે. આવતીકાલે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. યાત્રિકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 તારીખ સુધી મંદિર બંધ રાખવામાં આવશે ત્યારે છ દિવસ દરમિયાન મંદિરના મુખ્ય દરવાજા ભક્તો માટે બંધ રહેશે

(10:45 pm IST)