ગુજરાત
News of Monday, 17th January 2022

નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયારાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૩ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૧, ગરુડેશ્વર તાલુકામાં ૦૫, દેડીયાપાડા તાલુકામાં ૦૦, સાગબારા તાલુકામાં ૦૦ તથા તિલકવાડા તાલુકામાં ૦૧ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૨૪ પોજેટિવ કેસ નોંધાયા છે.આજે કુલ ૨૪ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૯ દર્દી દાખલ છે. આજે વધુ ૩૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:24 am IST)