ગુજરાત
News of Monday, 17th January 2022

રાજપીપળામાં વાસી ઉત્તરાયણના દિવસે કુલ 11 પક્ષીઓ ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને આવતા સારવાર અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ની ઉજવણી કરાઈ પરંતુ પતંગના દોરા વડે ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાને અને 1962 એમ્બ્યુલન્સ ના ડોકટરો એ સારવાર આપી જીવ બચાવ્યા હતા
પશુ દવાખાના માંથી પ્રાપ્ત માહિતી મુજબ 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કુલ 7 ઇજાગ્રસ્ત પક્ષી આવતા તમામને સારવાર અપાઈ હતી ત્યારબાદ 15 જાન્યુઆરી એ વાસી ઉત્તરાયણ માં કુલ 11 પક્ષી ઘાયલ હાલતમાં આવ્યા હતા જેમાં રાજપીપળા પશુ દવાખાના માં કબૂતર-7 અને જલ કુકડી-1 જ્યારે 1962 એમ્બ્યુલન્સ માં કુલ 3 કબૂતર મળી કુલ 11 પક્ષી ઇજાગ્રસ્ત આવતા ફરજ પરના ડોકટરો એ જરૂરી સારવાર કરી તમામ ના જીવ બચાવ્યા હતા.

(11:27 am IST)