News of Monday, 17th January 2022
આજથી અમદાવાદ એરપોર્ટ રનવેનું કામ શરૂ:22 મે સુધી અમદાવાદની 32 ફ્લાઇટ રદ કરાઈ
રન વે રીકાર્પેટનું કામ શરૂ થશે. રન વેની કામગીરી ચાલતી હોવાથી 22 મે સુધી ફ્લાઇટ 9 કલાક સુધી બંધ રહેશે
અમદાવાદ :રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ બાદ આજ (સોમવાર) થી અમદાવાદ એરપોર્ટ રન વે રીકાર્પેટનું કામ શરૂ થશે. રન વેની કામગીરી ચાલતી હોવાથી 22 મે સુધી ફ્લાઇટ 9 કલાક સુધી બંધ રહેશે. મહદ અંશે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ફ્લાઇટ બંધ રહેશે.
અમદાવાદ એરપોર્ટ પર રનવેની કામગીરી એકવાર ફરી શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફ્લાઇટ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે. મળી રહેલી માહિતી અનુસાર, 22 મે સુધી અમદાવાદની અંદાજે 32 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વળી જો તમારે ફ્લાઇ પકડવાની હોય તો તમારે એરપોર્ટ પર સમયથી ત્રણ કલાક પહેલા પહોંચવુ જરૂરી છે.
(12:11 pm IST)