ગાંધીનગરમાં સે-2 નજીક યુવાનનું બાઈક સ્લીપ થતા ચાલકનું ગંભીર ઇજાથી મોત
ગાંધીનગર:શહેરના સરગાસણથી ચ-૦ તરફના ઓવરબ્રીજ ઉપર સે-ર બાજુના વળાંક પાસે બાઈક લઈને જઈ રહેલા યુવાનનું બાઈક સ્લીપ થતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પાછળ બેઠેલા યુવાનને પણ ઈજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જયાં ચાલક યુવાનનું મોત નીપજયું હતું.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના જગતપુર ખાતે રહેતા મુકુંદભાઈ ઈશ્વરભાઈ રાવળનો પુત્ર હર્ષ અને તેમનો ભાણીયો નીરવ કૃષ્ણકુમાર રાવળ તેમનું બાઈક જીજે-૦૧-યુઈ-૭૨૯૬ લઈને ગઈકાલે જગતપુરથી સાદરા જવા માટે નીકળ્યા હતા. નીરવ બાઈક ચલાવી રહયો હતો તે દરમ્યાન સરગાસણથી ચ-૦ તરફના ઓવરબ્રીજ ઉપર સે-રના વળાંક પાસે નીરવે બાઈક ઉપરથી કાબુ ગુમાવતાં સ્લીપ ખાઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો. જેમાં નીરવ અને હર્ષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન નિરવનું મોત નીપજયું હતું. હાલ આ ઘટના અંગે સે-૭ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.