ગુજરાત
News of Monday, 17th January 2022

કોરોના વિસ્ફોટ...નર્મદા જિલ્લામાં સોમવારે ૩૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા): આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૧૧ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૩, ગરુડેશ્વર તાલુકામાં ૧૩, દેડીયાપાડા તાલુકામાં ૦૨, સાગબારા તાલુકામાં ૦૩ તથા તિલકવાડા તાલુકામાં ૦૩ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૩૫ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૧૪ દર્દી દાખલ છે. આજે વધુ ૧૨૦૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:30 pm IST)