રજ્જુભાઇ શ્રોફે રામ મંદિર માટે ૫ કરોડ આપ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
રાજકોટ તા. ૧૭ : અત્રેની જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગપતિ રજજુભાઇ શ્રોફે શ્રી રામ મંદિર નિર્માણ નિધિમાં રૂ. પાંચ કરોડનું દાન કર્યુ છે.
UPL લિમિટેડ નાં ચેરમેન અને પદ્મભૂષણના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત થયેલા શ્રી રજ્જુભાઈ શ્રોફ તેમજ તેઓના પરિવારજનો દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક શ્રી મોહન ભાગવતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય રામ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા પાંચ કરોડનું (૫,૦૦,૦૦,૦૦૦) દાન કર્યું હતું , રજ્જુભાઇ શ્રોફ વલસાડ જિલ્લા રામ મંદિર સમર્પણ નીધીના ચેરમેન પણ છે.
શ્રી રજ્જુભાઇ શ્રોફે મુંબઇથી વાપી એકમ નાખવાની શરૂઆત કરી હતી. રજ્જુ શ્રોફના અથાગ પ્રયાસોના કારણે એશિયાની નંબર વન પેસ્ટીસાઇડ્સ બનાવતી યુપીએલ કંપનીની દુનિયામાં અનેક બ્રાન્ચો છે. વાપીને ઔદ્યોગિક નગરી બનાવવા પાયો નાખનાર તથા લંડનમાં કંપની સ્થાપનારા પ્રથમ ભારતીય એવા શ્રી રજ્જુ શ્રોફનું વાપી એસ્ટેટમાં શૈક્ષણિક, આરોગ્ય શ્રેત્રે મહત્વનું યોગદાન છે.