રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 273 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 278 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4403 : કુલ 2,59,928 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે રાજ્યના 8 જિલ્લામાં એકપણ કેસ નહીં : આજે વધુ 3718 લોકોને રસી અપાઈ : કુલ 8,05,130 લોકોનું રસીકરણ કરાયું
રાજ્યમાં આજે અમદાવાદમાં 59 કેસ, વડોદરામાં 58 કેસ, સુરતમાં 47 કેસ, રાજકોટમાં 42 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જામનગરમાં 9 કેસ, મહેસાણામાં 6 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 1767 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં 268 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 281 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 278 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 273 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,59,928 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4403 છે રાજ્યમાં રિકવરી રેટ 97,70 થયો છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 317 કેન્દ્રો ઉપર 3718 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,05,130 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
આજે રાજ્યના 8 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, રાજ્યમાં હાલ 1703 એક્ટિવ કેસ છે. જેમાંથી 32 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 1671 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યમાં આજે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 278 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 59 કેસ, વડોદરામાં 58 કેસ,સુરતમાં 47 કેસ, રાજકોટમાં 42 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, જામનગરમાં 9 કેસ,મહેસાણામાં 6 કેસ,આણંદ, ગીર સોમનાથ , ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે