અમદાવાદમાં કોરોના ધીમો પડ્યો :હોસ્પિટલોમાં ક્રિટીકલ કેરના 2981, આઇસીયુના 160 અને વેન્ટિલેટરના 21 બેડ ખાલી
ડેઝિગ્નેટેડ 177 ખાનગી હસ્પિટલમાં 1513 બેડ ખાલી છે. 237 નર્સિંગ હોમમાં 740 બેડ ખાલી
અમદાવાદ : અમદાવાદમાં કોરોના ધીમો પડ્યો છે જેથી હવે શહેરમાં હોસ્પિટલોમાં આઇસીયુ અને વેન્ટિલેટરના પણ ખાલી બેડમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ અનુસાર આઇસીયુના 160 અને વેન્ટિલેટરના 21 બેડ ખાલી છે. શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરના 2981 બેડ ખાલી છે
AMC સંચાલિત SVP હોસ્પિટલ 63 બેડ,વી એસ હોસ્પિટલમાં 53 બેડ,એલ.જી હોસ્પિટલમાં 45 બેડ, શારદાબેન હોસ્પિટલ માં 44 બેડ ખાલી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 177 ખાનગી હસ્પિટલમાં 1513 બેડ ખાલી છે. 237 નર્સિંગ હોમમાં 740 બેડ ખાલી છે.
આ ઉપરાંત 6 સિવિલ હોસ્પિટલમાં 496 બેડ ખાલી છે. ESIC હોસ્પિટલમાં 27 બેડ ખાલી છે. શહેરમાં આઇસીયુ અને ઓક્સિજનના ટોટલ 9346 બેડ છે જેમાંથી 6365 બેડ ભરાયેલા છે. જ્યારે 2981 બેડ ખાલી છે.