ગુજરાત
News of Monday, 17th May 2021

પોઇચા નીલકંઠ ધામ ખાતે કોરોના મહામારી બાબતે પાંચ દિવસીય વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પોઇચા ખાતે આવેલા નીલકંઠ ધામ ખાતે વિશ્વ શાંતિ યજ્ઞ પાંચ દિવસ માટે યોજાયો,આ યજ્ઞમાં કોરોના મહામારીનું સંકમણ વિશ્વમાંથી દૂર થાય અને વિશ્વ શાંતિ પ્રાપ્ત થાય એવી કામના કરવામાં આવી હતી.
 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા નીલકંઠ ધામ પોઇચા ખાતે વિશ્વ શાંતિ માટે પાંચ દિવસના ભક્ત ચિંતામણી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ માં વારાફરતી ૫૦ જેટલા સંતોએ યજ્ઞ કુંડમાં આહુતિઓ આપીને વિશ્વ શાંતિ માટે કામના કરી હતી. વિશ્વમાંથી  કોરોનાની મહામારી ખતમ થાય અને વિશ્વ શાંતિ પ્રાપ્ત થાય એવી કામના કરવામાં આવી હતી. તમામ સ્વર્ગ વાસીઓને ભગવાન સુખી કરે એ ભાવથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આમ રાજકોટ ગુરુકુલની  ૪૨ જેટલી શાખામાં અઢીસો જેટલા સંતોએ કોરોના વાયરસ મહામારી સંકમણનુ પ્રમાણ દૂર થાય વિશ્વ શાંતિ પ્રાપ્ત થાય એવી કામના સાથે વિશ્વ શાંતિ યજ્ઞ કર્યો હતો તેમ પોઇચા નીલકંઠ ધામના કોઠારી કૈવલ્ય  સ્વરૂપ દાસજી સ્વામી તથા ભંડારી આત્મપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

(10:55 pm IST)