મહિસાગર જીલ્લાના સંતરામપુરમાં ખુલ્લી જમીન ઉપર મહિલાની કુખમાં રહેલ બાળકને મારી નાખવાનું પાપ આચર્યુઃ અમાનવીય રીતે ગર્ભપાત કરાવતા અરેરાટી
અમદાવાદ: ગુજરાતમા વિકાસનો વાતો થાય છે, વિકાસ દેખાય છે, પણ લોકોના મનનો વિકાસ થયો નથી. ગુજરાતના રોજેરોજે એવા કિસ્સા બની રહ્યા છે જેમાં લોકોની વિકૃતિ દેખાઈ રહી છે. હવે લોકોએ બાળકોના જીવનને પણ ખેલ બનાવી દીધો છે. આવો જ એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લી જમીન પર, ખુલ્લા આકાશ નીચે ઘોર પાપ આચરવામાં આવ્યું. આ પાપ હતું મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાખવાનું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી અને પછી સાધનો સાથે, અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યો છે.
કૂખમાં બાળકની કતલ કરાઈ
જિલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એ ગોડાઉન પાછળ જ્યાં એક મકાનમાં આ મહિલાની કૂખમાં રહેલા બાળકની કતલ થઈ રહી હતી. આ કૃત્ય કરનાર મહિલાઓ કોણ છે, તેમાંથી કોઈ નર્સ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે.
જવાબદારો સામે કાર્યવાહી કરીશું
આ ઘટના બન્યા બાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. સંતરામપુરથી સામે આવેલી આ ઘટના ચોંકાવનારી અને વિચલિત કરી દે તેવી છે. મહિલાઓ જ એક મહિલાની દુશ્મન બનીને આ પાપ આચર્યું..